શ્રાપ

You are currently viewing શ્રાપ

અમર થઈને શું અશ્વત્થામા થવું છે?
પથ્થર જેટલાં નકામા થવું છે?

લથડતા રહીને ભટકવું ધરા પર,
કૃષ્ણ વિનાના સુદામા થવું છે?

ગીદ્ધો ની વચ્ચે વિચરતાં રહીને,
લોહી નીતરતાં ચકામા થવું છે?

આ મ્રત્યુલોકમાં કણસતાં કણસતાં,
હરતાં ફરતાં નનામા થવું છે?

રોકીને જગ્યા ધરા પર કોઈની,
પ્રજાની ઘૃણાનાં નિશાના થવું છે?

મોહ અને વિદ્યાનો દુરુપયોગ “કાચબા”,
કેવો હોય દાખલા જોવાનાં થવું છે?

– ૦૪/૦૨/૨૦૨૨

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
1 પ્રતિભાવ
Inline Feedbacks
View all comments
Ishwar panchal
Ishwar panchal
12-Apr-22 9:24 PM

ખૂબ ખૂબ ગહન પ્રશ્ન ,ઊંડા વિચારો, ઊંચું જ્ઞાન …….