વરસતી આંખોએ કર્યા, વિદાય એમને,
વધીને દઈ પણ નાં શક્યાં, વધાઈ એમને,
પૂછી ન શક્યાં, હતો ત્યાગ કે તિરસ્કાર એમનો,
બાંધી ન શક્યા, સોગંદ માં, જરાય એમને.
કારણ તો કેમ કરી પુછાય એમને?
મૂંઝવણમાં કેમ કરી મુકાય એમને?
કંપી જાય હૈયું જે વિચારતા, એ કહેવાં,
વિવશ તો કેમ કરી કરાય એમને?
છે એવા કે મઢીને રખાય એમને,
વાત અંગત કોઈ પણ કે’વાય એમને,
જતાં જતા આજ્ઞા એટલી જ મંગાવી,
કે, મન ભરાય તો પત્ર લખાય એમને?
કહી તો જો, કે, એકવાર રોકાય એમને,
પૂછ તો ખરો, હાલત, તારી દેખાઈ એમને?
ઘેલો શું થયો છે “કાચબા” એના નામે એટલો?
વિચાર કર્યો ખરો, તારો જરાય એમણે?
– ૦૬/૦૭/૨૦૨૧