ભ્રાંતિ

You are currently viewing ભ્રાંતિ

સ્વર્ગની વાતો ઘણી શાસ્ત્રોમાં,
નરક નો ક્યાંય ઉલ્લેખ નથી.
આકાશ-પાતાળ, ચાંદો-તારા,
ક્યાંયે શીલાલેખ નથી.

દેવ-દાનવો એક બાપના,
રંગ-રૂપ માં ભેદ નથી.
એક ગંતવ્ય દરેક જ્યોતનું,
એમાં કો’ મતભેદ નથી.

અહીંજ “કાચબા” હિસાબ થાશે,
એથી સ્પષ્ટ ઉપદેશ નથી,
જીવતે જીવ જ છે, મરણોત્તર-
સજાનો કોઈ ઉદ્દેશ નથી. સ્વર્ગની…૦

– ૧૧/૧૨/૨૦૨૧

[ઘરતી લોકથી પરે શું ખરેખર કોઈ લોક છે? મૃત્યુ પછી શું ખરેખર જીવન છે? આમ જોવા જઈએ તો કદાચ સ્વર્ગનું કોઈ અસ્તિત્વ હોઈ શકે પણ મારા મતે તો નરક એક પ્રકારની “ભ્રાંતિ” છે (ભ્રમ છે). મોક્ષ લઈને સ્વર્ગે જવાતું હોય એવું માનીએ તો નરક કેવી રીતે જવાય?….]

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
2 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments
Ishwar panchal
Ishwar panchal
05-Feb-22 8:43 PM

ખુબ ખુબ વિચારશીલ રચના.

Sandipsinh Gohil
Sandipsinh Gohil
04-Feb-22 8:29 AM

Ati Uttam Rachna