કર્મફળ

You are currently viewing કર્મફળ

એવો કેવો હિસાબ કરે,
કાલનો સરભર આજ કરે,
અહીંનું અહીંયા પૂરું થાશે,
એવો શું કામ પ્રલાપ કરે.

ધોઈ ધોઈને કેટલું ધોવું,
કેટલાં કોઈ જાપ કરે?
પાછલાં ભાવનું કોણે જોયું,
આ ભવ માત્ર વિલાપ કરે.

ભેગું કરવા દેતો નથી કંઈ,
છેલ્લે સઘળું રાખ કરે,
સાંજ સુધી તો બળ્યા કર્યા,
ક્યારે ઓછો તાપ કરે?

બોધ નથી ને પૂર્વ કર્મોનો,
શેનો પશ્ચાતાપ કરે?
આત્મા કકળે એટલો “કાચબા”,
કોઈને કેમ સંતાપ કરે?

– ૩૦/૦૩/૨૦૨૧

[એક બાજુ તો કહે છે કે અહીંનું કરેલું બધું અહીં જ ચૂકવીને જવું પડશે, ને બીજી બાજુ એમ પણ કહે છે કે પાછલા જન્મોનાં જમા ઉધાર પણ આ જન્મમાં ચૂકવવા પડે છે. આ તે કેવો વિરોધાભાસ? અહીંનો હિસાબ અહીં જ થઈ જતો હોય તો આ પાછલું લ્હેણું કેવું?]

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
3 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments
મનોજ
મનોજ
02-Oct-22 3:45 PM

જબરો હિસાબ શીખવ્યો કાચબાભાઈ

Sandipsinh Gohil
Sandipsinh Gohil
25-Aug-22 7:05 PM

Khub Saras Rachna and Abhivaykti

Ishwar panchal
Ishwar panchal
24-Aug-22 10:46 PM

આધ્યાત્મિક અને આત્મજ્ઞાન થી ભરપૂર કવિતા જે ઓશો ના વિચારો ને પ્રતિબિંબ કરે છે.
આવા તત્વજ્ઞાન થી ભરપૂર વિચારો અમારા સુધી
પહોચાડવા માટે હું કવિ નો ખૂબ ખૂબ આભાર
વ્યક્ત કરું છું.