મૂકદર્શક

You are currently viewing મૂકદર્શક

ધાર્યુ ધણીનું થાય,
તો દોષ કોને દેવાય?
સમય, ભાગ્ય કે કર્મનું,
ઠીકરું કોનું ફોડાય?

પ્રયન્ત કરીશ, કોઈ કહો તો-
લખ્યું એનું બદલાય?
રોટલો રળ્યે મળે નહીં, તો-
સ્વર્ગની કામના કરાય?

કમાન જો હોય હાથમાં એનાં,
યોજના મારાથી ઘડાય?
એનાથી પાર પડે નહીં, તો-
“કાચબા” કોને કહેવાય?

– ૧૩/૦૪/૨૦૨૨

[જે કંઈ થાય એ બધું એનાં જ ઈશારે થાય, એની મરજીથી જ થાય અને એ ઈચ્છે એવું અને એટલું જ થાય. તો શું, જે થાય છે એ આપણે “મૂકદર્શક” બનીને જોયાં કરવાનું? એને બદલવાનો પ્રયત્ન પણ નહીં કરવાનો?]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Ishwar panchal

    લાજવાબ પ્રશ્ર્ન……..
    જેમ કે કવિ ગઝબ ના પ્રશ્નાર્થ ચિન્હ કવિતામાં પ્રતિબિંબ કરતા હોય છે. કવિ ની રચનામાં કડવિસચ્ચાઈ ભારોભાર દૃશ્યમાન હોય છે.