નિષ્કામ

You are currently viewing નિષ્કામ

ઉંમર ઉંમરનું કામ કરે,
તું એની ફીકર શું કામ કરે,
ચકરડું છે તે ફરતું ‘રે઼,
સમય સમયનું કામ કરે.

થાયેથી પીળું પાન ખરે,
વધે નાં કોઈ જ પાનખરે,
આજ કુંપળ કાલ ખરશે,
નિયમ નિયમનું કામ કરે.

નિર્ધારિત,નિરંતર કામ કરે,
એ પારસમણીનું કામ કરે,
ઉદ્યમ સત્વ કરજે “કાચબા”,
એ તારું મોટું નામ કરે.

– ૨૬/૧૦/૨૦૨૧

[સમય સમય પર જે થવાનું હોય એ થઈને જ રહેશે, હું કે તું સમયનાં એ ચક્રમાં કોઈ જ હસ્તક્ષેપ કરી શકીશું નહીં. એટલે તારાં હિતમાં એ જ છે કે ભવિષ્યનો વિચાર કર્યા વગર “નિષ્કામ” ભાવે તારું કર્મ કર અને સમયને એનું કામ કરવા દે…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 4 Comments

  1. Ishwar panchal

    સમય નું મહત્વ વિશે નું જ્ઞાન ,સાથે મનુષ્ય ના હાથમાં
    ફક્ત કર્મ કરવાનું હોય છે,ફર આપવાનું ભગવાનના
    હાથમાં છે.ઊંડી સમજ છે કવિતામાં.

  2. Kunvariya priyanka

    Wah

  3. Sandip

    Vah, Udhyam j Motu naam kare

  4. ચેતન

    ખુબ સરસ રચના